– સ્થાનિક રહીશોએ નગરપાલીકા હાય હાય ના સૂત્રોચ્ચાર કરી પાલીકા સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો
આમોદ,
આમોદના પૂરસા રોડ નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે છતાં પાલીકા સત્તાધીશોએ કોઈ કાર્યવાહી નહી કરતાં રહીશોએ નગરપાલિકાના હાય હાયના સૂત્રોચ્ચાર કરી પાલિકા સત્તાધિશો સામે રોષ ઠાલવ્યો હતો અને આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી.
આમોદ પુરસ રોડ નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે.જે બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર આમોદ પાલિકાના પ્રમુખ જલ્પા પટેલ,સેનેટરી ઈન્સ્પેકટર હિતેશ અસારી તેમજ મુખ્ય અધિકારી પંકજ નાયકને રજુઆતને કરી હતી.આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણાએ પણ અનેક વખત પાલિકાને રજુઆત કરી હોવા છતા સત્તાધીશો સ્થાનિક રહીશોની રજુઆતને ઘ્યાનમાં નહી લેતાં આજરોજ પાલિકાની માજી પ્રમુખ સાજીદ રાણા, નગરસેવક શકીલ કાપડિયાએ મુખ્ય અઘિકારી તેમજ સેનેટરી ઈન્સ્પેકટર હિતેશ અસારીને સ્થળ મુલાકાત માટે બોલાવ્યા હતા.જ્યાં સ્થાનિક રહીશોએ અધિકારીઓએ જોઈ દુર્ગંધ મારતી ગટરોની ઉગ્ર રજૂઆત કરી હતી.તેમજ મીડીયા સમક્ષ જો આ ઉભરાતી ગટરોનું કાયમી નિરાકરણ નહી આવે તો આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂરસા નવીનગરી વિસ્તારમા છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે.અનેક વખત લેખીત રજૂઆતો કરવા છતા પાલીકા સત્તાધીશો કોઈ નક્કર કામગીરી કરતા નથી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યુ હતુ કે વારંવાર ગટરો ઉભરાઈ છે તેનુ નિરાકરણ આવતું નથી પરંતુ વેરા લેવા નિયમિત આવે છે.ઉભરાતી ગટરોને કારણે ઝાડા ઉલટીના બનાવો બન્યા છે.રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ?
આ બાબતે સ્થાનિક રહીશ ગુલામ ખત્રીએ જણાવ્યુ હતુ કે ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેર રસ્તા ઉપર આવે છે તે બાબતે અમોએ નગરપાલિકાને વારંવાર લેખીત તેમજ મૌખિક જાણ કરી હોવા છતાં આ જાડી ચામડીના અધિકારીઓનું પેટનું પાણી હાલતું નથી. અમે કેવી દુર્ગંધમાં રહીએ છીએ તે બતાવવા માટે મુખ્ય અઘિકારી અને સેનેટરી ઈન્સ્પેકટરને એક દિવસ આ વિસ્તારમા અમારું ઘર ખોલીને આપુ અહીંયા બેસીને વહીવટ કરે તો તેમને સમજાશે કે અમો કેવી દુર્ગંધમાં રહીએ છીએ.જો હજૂ પણ નિરાકરણ નહી આવ્યુ તો નાછૂટકે અમારે આત્મવિલોપન કરવું પડશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is