best news portal development company in india

જંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર ૨ ખાતે સુપોષણ સંવાદદિનની ઉજવણી કરવામાં આવી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

ગુજરાત સરકાર દ્વારા કુપોષિત બાળકો માટે તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે અને સંકલિત બાળ વિકાસ સેવા યોજના થકી આઈસીડીએસ વિભાગ દ્વારા બાળકોના તંદુરસ્ત વિકાસનો પાયો નાખવો,બાળકના શારીરિક,બૌદ્ધિક,ભાષાકીય, સામાજિક તથા આવેગાત્મક વિકાસને વેગ આપવો,બાળમરણ તથા માતા મરણનું પ્રમાણ ઘટાડવા, બાળ માંદગી તથા માતા માંદગીનું પ્રમાણ ઘટાડવું, શાળા છોડી જવાનું પ્રમાણ ઘટાડવું, બાળકની સારી સંભાળ માટે તથા તેના આરોગ્ય સ્તર સુધારવા માટે બાળકની માતાને પોષણ વિશે સમજણ આપવી સહિતના હેતુ દ્વારા બાળકો, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ માટે વિવિધ સેવાઓ આપવામાં આવે છે.આઈસીડીએસ દ્વારા મે માસના પ્રથમ મંગળવારે સુ પોષણ દિનની દરેક આંગણવાડી કેન્દ્ર ખાતે ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત જંબુસર આંગણવાડી કેન્દ્ર નંબર ૨ ખાતે સુપરવાઇઝર નજમાબેન પટેલની ઉપસ્થિતિમાં શ્રીમંત વિધિ કરવામાં આવી જેમાં લાભાર્થીને શ્રીફળ, સાકર, ફૂટ,કઠોળ આપી પ્રોત્સાહિત કરી પોષક આહાર લેવા તથા ટીએચઆર વિતરણ કરાયું હતું.જેમાં લાભાર્થીને બાળ શક્તિ, માતૃશક્તિ, પુર્ણા શક્તિ ના પેકેટ દ્વારા બનતી વિવિધ વાનગીની સમજ આપી ટી એચ આર નો વધુમાં વધુ ઉપયોગ કરવા સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આપણા પ્રસંગે આંગણવાડી હેલ્પર વિભાબેન પટેલ, ઈન્ચાર્જ વર્કર કેન્દ્ર નંબર ૫ સંગીતાબેન પટેલ સહિત લાભાર્થી માતા બહેનો હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!