– ફુરજા ચાર રસ્તા પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો પાણીના પ્રવાહ માંથી પસાર થવા મજબૂર : ગ્રાહકો નહીં આવતા દુકાનદારો ચિંતામાં
ભરૂચ,
ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વહેલી સવારથી વરસતા વરસાદના કારણે ભરૂચમાં નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાવા સાથે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભરઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.જેના પગલે જન જીવન અસ્ત વ્યસ્ત થવા સાથે નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હતો.તો બીજી તરફ નીચાણવાળા વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના દ્રશ્યો સર્જાયા હતા.જેમાં ફાટાતળાવ અને ફુરજા ચાર રસ્તા નજીક પાણી ભરાતા દુકાનદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.કારણકે પાણી ભરવાના કારણે ગ્રાહક નહીં આવતા રોજગારી પર અસર જોવા મળી રહી હતી.તો રાહદારીઓ અને વાહનચાલકોએ પાણીન પ્રવાહ માંથી પસાર થવું પડ્યું હતું.
ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. ભરૂચ કલેકટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં ૭ મીલીમીટર, અંકલેશ્વરમાં ૪ મિલિમિટર, હાંસોટમાં ૧ મિલીમીટર, નેત્રંગમાં ૧ મિલીમીટર, ઝઘડિયામાં ૪ મિલિમિટર, જંબુસરમાં ૧૪ મીલીમીટર વાગરામાં ૨૦ મિલિમિટર અને ભરૂચમાં ૨૦ મિલિમિટર વરસાદ નોંધાયો હતો.
કમોસમી વરસાદના કારણે જન જીવન અસ્ત વ્યસ્ત તો થયું છે પંરતુ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is