(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
વર્તમાન સંદર્ભ અને ભવિષ્યમાં ઉભી થનાર પરિસ્થિતિના સદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમના સયુંકત વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા એ આજે સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સુરક્ષા વ્યવસ્થા સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.આ સમીક્ષઆ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ,નર્મદા ડેમના કાર્યકારી મુખ્ય ઈજનેર શુભમ ગોયલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ પોલીસ અધિક્ષક રિયાઝ સરવૈયા,SRP ના નાયબ પોલીસ અધિક્ષક એલ.પી.ઝાલા અને ડેમના ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં અરોરાએ ડેમની સુરક્ષા અંગે એકતા નગર SRPF ના અધિકારીઓ પાસે માહિતી મેળવી હતી અને ઉપરાંતમાં અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહારના માધ્યમો કોઈ પણ સંજોગોમાં કાર્યરત રહે તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપીને આને અન્ય વિકલ્પો પણ તૈયાર રાખવા માટે અને તકેદારીના પગલાઓ લેવા સૂચનાઓ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર ડેમ ગુજરાતની જીવાદોરી છે જેથી પહેલાથી જ સમગ્ર નર્મદા યોજનાની જવાબદારી રાજ્ય અનામત દળના એક ગ્રુપ એકતા નગર ખાતે કાર્યરત છે અને આ ગ્રુપ દ્વારા રાઉન્ડ ઘી ક્લોક અને ૩૬૫ દિવસ જરૂરી તકેદારી સાથે સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.આજે યોજાયેલ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોથી અવગત થઈને અરોરાએ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તકેદારી રાખવા અને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is