best news portal development company in india

ભરૂચ જીલ્લાનું ધોરણ ૧૦ બોર્ડનું ૮૩.૫૮ ટકા પરિણામ : ૪૯૩ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો

SHARE:

– સરકારી ૭ શાળા મળી જીલ્લાની ૭૦ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ : સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું ૯૮.૪૫ ટકા પરિણામ : સૌથી ઓછું આમોદ કેન્દ્રનું ૫૫.૬૮ ટકા પરિણામ
ભરૂચ,
ભરૂચ જીલ્લાનું ધોરણ ૧૦ બોર્ડનું ૮૩.૫૮ ટકા પરિણામ જાહેર થયું છે.જેમાં કુલ ૪૯૩ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.તો જીલ્લાની ૭૦ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે જેમાં સરકારી ૭ શાળાઓનો પણ સમાવેશ થયો છે.તો સૌથી વધુ જાગેશ્વર કેન્દ્રનું ૯૮.૪૫ ટકા પરિણામ અને સૌથી ઓછું આમોદ કેન્દ્રનું ૫૫.૬૮ ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ આજે ગુરુવાર સવારે ૮ વાગ્યે ધોરણ ૧૦ નું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.જેમાં ગત વર્ષેના તુલનાએ આ વર્ષે ધોરણ ૧૦ નું પરિણામ વહેલું જાહેર થયું છે.ભરૂચ જીલ્લાના ૧૮,૪૦૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ www.gseb.org વેબસાઈટ પરથી તથા વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમ મોકલી મેળવી શક્યું હતું.
ભરૂચ જીલ્લામાં કુલ પરિણામ ૮૩.૫૮ ટકા નોંધાયું છે.જેમાં કુલ ૪૯૩ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે. A2 માં ૧૭૩૩, B1 માં ૨૯૬૧,B2 માં ૩૮૩૭,C1 માં ૩૮૯૫, C2 માં ૨૨૩૮, D માં ૨૨૩, E માં ૧૭૪૬,E2 માં ૧૨૭૫ વિદ્યાર્થીઓ પાસ અને ૩૯૨૧ જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લાની ૭૦ શાળાઓનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. જેમાં સરકારી ૭ શાળાઓનો પણ સમાવેશ થયો છે.જ્યારે પરીક્ષા કેન્દ્રના પરિણામની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ જાગેશ્વર કેન્દ્રનું ૯૮.૪૫ ટકા નોંધાયું છે.જ્યારે સૌથી ઓછું પરિણામ આમોદ કેન્દ્રનું ૫૫.૬૮ ટકા રહ્યું છે.
ભરૂચની નારાયણ સ્કુલનું ૯૬.૨૪ ટકા રિઝલ્ટ આવ્યું હતું.જેમાં A-1 ગ્રેડમાં ૧૪ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવતા પ્રિન્સીપાલ ડૉ.ભગુભાઈ પ્રજાપતિ સહિત શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!