(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે નેત્રંગના બજારની ગણના થાય છે.નેત્રંગ તાલુકાના ગામે ગામ અને આજુબાજુના વિસ્તાર માંથી મોટી સંખ્યામાં રહીશો જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની ખરીદી અર્થે નેત્રંગના બજારમાં આવતા હોય છે.ત્યારે શૌચાલયને અભાવે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકેથી અંકલેશ્વર-બુરહાનપુર અને અંબાજી-ઉમરગામ બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી હજારોની સંખ્યામાં વાહનવ્યવહાર ધમધમે છે.નર્મદા પરીક્રમા,પાવાગઢ પગપાળા સંઘ, શિરડી સાંઈબાબા પગપાળા સંઘ અને હજારોની સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે. તેવા સંજોગોનાં નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાના અભાવે શૌચક્રિયા માટે ક્યાં જવું તે એક પેચીદો પ્રશ્ન ઉદભવે છે.ખાસ કરીને મહિલાઓને શૌચક્રિયા માટે ભારે હાલકીનો સામનો કરવો પડે છે.
ઉલ્લેખનીય છે કે નેત્રંગ એક વિકાસશીલ તાલુકો છે.નાગરીકોને પાયાની સુવિધા આપવા અને વિકાસના કામો કરવામાં પદાધિકારીઓ અને અધિકારીઓ પીછેહટ કરતા નથી.તેવા સંજોગોમાં આગામી ટુંક સમયમાં જ નેત્રંગ તાલુકા મથકે જાહેર શૌચાલયની સુવિધાનું નિર્માણ કરવાની લોકમાંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is