best news portal development company in india

સાંસદ મનસુખ વસાવાની પોસ્ટથી ભરૂચ ભાજપનું રાજકારણ ગરમાયું : પ્રમુખ સામે સાંસદ મનસુખ વસાવાની નારાજગી

SHARE:

– પ્રમુખ પ્રકાશ મોદીએ આત્મમંથન કરવાની જરૂર છે : મનસુખ વસાવા
– ભરૂચ જીલ્લા પ્રમુખ પ્રકાશ મોદીથી નારાજ થતા સોશ્યલ મીડિયામાં કરી પોસ્ટ
– તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક ધારાસભ્યો અને સાંસદને વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ
ભરૂચ,
ભરૂચ જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ત્રણ તાલુકાના હોદ્દેદારોની નિયુક્તિ ની પોસ્ટ કર્યા બાદ સાંસદ મનસુખ વસાવા નારાજ થયા હોય તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર નારાજગી દર્શાવતા રાજકારણ ગરમાયું છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ તાલુકામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની જે વરણી કરી છે એમાં મોટાભાગનાં સ્થાનિક ધારાસભ્યો તથા સાંસદ સભ્ય તરીકે મને વિશ્વાસમાં લીધો નથી.જીલ્લા પ્રમુખ સાથે વારંવાર અમારી મીટિંગ થઈ છતાં પણ ધારાસભ્યોના અને અમારા સૂચનોની એમને અવગણના કરી છે. જીલ્લા પ્રમુખ એ એમની આસપાસની ટોળકીનાં દબાણથી તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણુંક કરી છે જે આવનારાં દિવસોમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભારે નુકશાન પહોંચાડશે.
ભરૂચએ આદિવાસી પ્રભુત્વ ધરાવતો જીલ્લો છે છતાં પણ તાલુકાઓમાં આદિવાસીઓને ખૂબ જ ઓછું સ્થાન મળ્યું છે.વાલિયા તાલુકામાં તાલુકા પ્રમુખ તરીકે ક્ષત્રિય સમાજ માંથી નિમણૂંક કરી છે જેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ એમની સાથે બંને મહામંત્રી તરીકે આદિવાસીની નિમણૂંક કરવાની હતી તેના બદલે મહામંત્રી પણ ક્ષત્રિય નિમ્યા છે.એ જ રીતે ઝઘડિયામાં આદિવાસી સમાજ અને પટેલ સમાજની અવગણના કરી છે. ઝઘડિયામાં પ્રમુખ સામાન્ય છે તો ત્યાં મહામંત્રી તરીકે આદિવાસીને પ્રાધાન્ય મળવું જોઈએ, પટેલ સમાજ પણ ઝઘડિયામાં પ્રભુત્વ ધરાવે છે તો તેમની અવગણના કરવામાં આવી છે.
જીલ્લા પ્રમુખ જીલ્લા ભાજપનાં આગેવાનોને વિશ્વાસમાં લેતા નથી અને બીટીપી તથા આમ આદમી પાર્ટી માંથી આવેલાં લોકો પર ભરોસો મૂકે છે.જે લોકો લોકસભામાં ભાજપને બેફામ ગાળો દેતાં હતા.મોદી સાહેબની સતત ટિકા ટિપ્પણી કરતાં હતાં તેમને જીલ્લા ભાજપના નેતાઓને વિશ્વાસમાં લીધા વિના ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવે છે જેનાથી સંઘર્ષ કરનાર ભાજપના કાર્યકર્તાઓ સખ્ત નારાજ છે.ભૂતકાળમાં ક્યારે પણ આવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું જે વર્તમાનમાં થઈ રહ્યું છે.આદિવાસીઓના ઘણાં બધા પ્રશ્નોને ધ્યાનમાં લેવાની બદલે તેમની સતત અવગણના કરવામાં આવે છે જેનાથી આદિવાસી સમાજ ઘણો નારાજ છે.અમે તો વર્ષોથી ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. આવી નિમણૂંકો થી કોઈ ફરક પડવાનો નથી. અમે સતત ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તેવા પ્રયત્નો કરીશું, પરંતુ જે જૂના કાર્યકર્તાઓ છે જેમની અવગણના થાય છે તેઓનું શું?
ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ મનસુખ વસાવાની નારાજગી સામે જણાવ્યું હતું કે તાલુકાની નિમણૂકમાં તમામ સમાજના લોકોને હોદ્દા આપવમાં આવ્યા છે અને આ પાર્ટીનો નિર્ણય છે.આવનાર દિવસમાં સૌ સાથે મળી વિકાસ તરફ વધીશું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!