(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાંચ તાલુકાઓમાં ૨૦ ઈ રીક્ષા સઘન કચરો ઉઘરાવવા માટેની વિતરણ કરવામાં આવી હતી.જેમાં કેટલાક નેતાઓએ આ વિતરણ કર્યુ પરંતુ દેડીયાપાડા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ઈ રીક્ષાના વિતરણ કાર્યક્રમનો મોટા પાયે વિરોધ થતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકાના ૨૦ જેટલા ગામોને સ્વછતા માટે ઈ રીક્ષા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવાએ આ ઈ -રીક્ષા લેવાની ના પાડી અને આવી કંડમ રીક્ષા કે જે એક વર્ષ પણ ના ચાલે અને જેનું ૩,૧૦,૦૦૦ નું બીલ મૂકી એજન્સી અને અધિકારીઓએ મલાઈ ખાઈ ઓડકાર લઈ લીધો હોય એવા ભ્રષ્ટાચારનું અમારા હાથે વિતરણ કરીએ તો આવતી કાલે અમે હસીને પાત્ર બનીએ એના કરતા આ વિતરણ અમે નહીં કરીએની વાત કરતા સામે ઈ રીક્ષા લેવાની સરપંચો એ લેવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને કાર્યક્રમ તંત્ર એ મોકૂફ રાખવો પડ્યો અને અધવચ્ચે પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
આ બાબતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જિલ્લા ગ્રામવિકાસ એજન્સી દ્વારા આ યોજના હેઠળ ખરીદી થઈ છે.સામાન્ય રીતે જોઈએ તો ૧ થી ૧.૫૦ લાખ રૂપિયામાં આ ઈ રીક્ષા આવે પણ એજન્સી ૩.૧૦ લાખ નું બિલ મૂકતા સીધા એક લાખ થી વધુ કમાઈ રહ્યા છે. જે ખોટું છે.આદિવાસીઓના નામે ૨૦x૧૦ = ૧૦૦ ઈ રીક્ષા આપવામાં આવી જેની કિંમત ૩.૧૦ કરોડ થાય એટલે આ નાનકડી યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે.હાલ તો આ ઈ રીક્ષાનું વિતરણમાં એક તરફ ભાજપના નાંદોદના ધારાસભ્ય વિતરણ કરે છે બીજી બાજુ આજ ભાજપના સાંસદ મનસુખ વસાવા વિરોધ કરે છે ત્યારે હવે આ એજન્સી પર શુ કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is