best news portal development company in india

પાક સાથે તંગદિલી વચ્ચે રિશૂટ સૂચવાતાં લાહોર 1947 અટકી

SHARE:

મુંબઇ : ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ચાલી રહી છે તેવા સમયે ભાગલા બાદના પાકિસ્તાનના માહોલ અને ઘટનાઓ પર આધારિત મનાતી ફિલ્મ ‘લાહોર ૧૯૪૭’ કેટલાંક  રિશૂટના કારણે અટકી પડી છે.

ફિલ્મનો હિરો સની દેઓલ પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી ચૂક્યો છે. પરંતુ, હવે  કેટલાંક દ્રશ્યો બાબતે  આમિર અને સની વચ્ચે મતભેદ થયા છે. બીજી તરફ આમિર અને દિગ્દર્શક રાજકુમાર સંતોષી વચ્ચે પણ કેટલાંક દ્રશ્યો બાબતે મતમતાંતર છે. એક પ્રોડયૂસર તરીકે આમિર હવે કેટલાંક દ્રશ્યો રિશૂટ કરાવવા ઈચ્છે છે. જોકે, સની દેઓલ હવે તે માટે તારીખો આપવા તૈયાર નથી. સની દેઓલના મતે હાલના દેશના માહોલને જોતાં ‘બોર્ડર ટૂ’ જલ્દી રીલિઝ કરી દેવાની જરુર છે આથી તે હાલ સમગ્ર સમય આ ફિલ્મને ફાળવી રહ્યો છે.

આ પરિસ્થિતિ જોતાં ‘લાહોર ૧૯૪૭’ ફિલ્મ  લંબાઈ જાય તેવાં એંધાણ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!