(જ્યોતિ જગતાપ રાજપીપલા)
નર્મદા જીલ્લા ભાજપ અને સ્થાનિકો દ્વારા ત્રિરંગા યાત્રા ગાંધી ચોક થી સફેદ ટાવર થઈને કમલમ પહોંચી હતી.ગાંધી ચોક ખાતે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર,ભાજપ પ્રમુખ નિલ રાવ, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે યાત્રા ની શરૂઆત કરાવી હતી.ગાંધી ચોક ખાતે પેહલા સિગ્નેચર અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.યાત્રા માં ૧૦૦ મીટરનો તિરંગો પણ રાખવામાં આવ્યો હતો.જે લોક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.ઠેર ઠેર ત્રિરંગાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજપીપલા શહેર તિરંગા યાત્રામાં ભારત માતા ની જય અને વંદે માતરમ ના જય જયકાર થી ગુંજી ઉઠ્યું હતું.યાત્રા માં સ્થાનિકો, મહિલાઓ,યુવાનો,વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે પહેલગામની જે ઘટના બની છે તેની સામે ઈટનો જવાબ પથ્થરથી જે રીતે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાનને આપ્યો છે અને ભારતીય સેનાએ જે પરાક્રમનું કામ કર્યું છે એમનો ઉત્સાહ વધારવા રાજપીપળા ખાતે આજે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.આજે ભારતીય જવાનોને કારણે આજે આપણો દેશ સુરક્ષિત છે ત્યારે આજે સૌ લોકોએ એક થઈને રાજપીપળામાં તિરંગા યાત્રા કાઢીને એકતાનું પ્રદર્શન કર્યું હતું તે આપણા માટે ગૌરવની વાત હોવાનું જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is