ભરૂચ,
અંકલેશ્વર – હાંસોટને ડાંગરનો મુખ્ય પટ્ટો કહી શકાય આ વિસ્તારોમાં વાવાઝોડા અને અકાળે પડેલા મોસમી વરસાદના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.ખેડૂતોને એક વીઘામાં અંદાજે ૧૦ થી ૧૫ ટકા સુધી નુકસાન નોંધાયું છે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર – હાંસોટમાં મોટા પાયે ડાંગરની ખેતી કરવામાં આવે છે.ભરૂચ જીલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકશાન થવા પામ્યું છે.ડાંગરના તાજા પાકનો ભાવ છેલ્લા કેટલાક દિવસોમાં ઘટીને ૨૦ કિલો માટે રૂપિયા ૫૧૦ માંથી સીધો રૂપિયા ૪૩૦ પર પહોંચી ગયો છે.એનું મુખ્ય કારણ વરસાદના કારણે ડાંગરનો પાક ભીનો થતા ભાવમાં ખેડૂતોને ૫૦ રૂપિયા જેટલો ઘટાડો આપવામાં આવે છે.જેના કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આવનારા દિવસોમાં જો ફરી કમોસમી વરસાદ થાય તો ડાંગરનો પાક વહેલો ઉતારવો પડશે.જેના કારણે પાકની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે અને માર્કેટમાં તેનો ભાવ વધુ ઘટે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is