best news portal development company in india

રાજપીપલામાં ૩૨ દિવસની બાળકીને જાનવર ઉઠાવી જતા ચકચાર

SHARE:

– લોહીના ટીપાંના આધારે નજીકના કોતરમાં તપાસ કરતા બાળકીએ પહેરેલા કપડાં મળી આવ્યા

– ઘટના સ્થળે નર્મદા પોલીસ,ફોરેસ્ટ વિભાગ અને ફોરેન્સિકની ટીમ પહોંચી

– બાળકીના કપડાં,ગળા માં પહેરેલું લોકેટ અને હાડકા મળી આવ્યા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપલા શહેરમાં સોસાયટીનું કામ ચાલતું હતું ત્યાં થી ૩૨ દિવસની બાળકીને જાનવર ઉઠાવી ગયા ની ઘટના સામે આવી છે.રાતે ૧૨ થી ૧૨:૩૦ ના ગાળામાં પરિવાર સાથે સુતી બાળકીને જાનવર ઉઠાવી ગયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.બાળકીને રાત્રે જાનવરે ઉઠાવ્યું હોઈ તેના લોહીના ટીપાંના આધારે નજીક માં આવેલ કોતરમાં તપાસ કરતા બાળકી એ પહેરેલા કપડાં મળી આવ્યા હતા.

ઘટના સ્થળે તપાસ માટે નર્મદા પોલીસ,ફોરેસ્ટ વિભાગની ટીમ અને ફોરેન્સિકની ટીમ પહોંચીછે.આ ત્રણ ટીમ દ્વારા તપાસ કરતા બાળકી ના કપડાં,ગળા માં પહેરેલું લોકેટ અને હાડકા મળી આવ્યા છે.ત્રણેય વિભાગ હાલ તપાસ કરી રહી છે કે કયું જાનવર હતું. આ ઘટના ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!