(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ સંકલન સમિતિ માં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ડેડીયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આપવા આવનાર ઈ રીક્ષાનો વિરોધ કર્યો હતો જે બાબતે તપાસની માંગ કરી છે.
તો સાંસદ મનસુખ વસાવા દ્વારા ખોટા દસ્તાવેજો બનાવીને RTE માં લીધેલા એડમિશન બાબતે આરોપી ને હજુ કેમ પકડવામાં નથી આવતો તે બાબતે પણ સંકલનની બેઠક માં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.
આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહિ પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે કે પછી આ લોકો બચવાના પ્રયત્નો કરે છે તેની માટે છૂટ આપવામાં આવી રહી છે કે કેમ તેનો જવાબ આપવા સાંસદે જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is