(વિજય વસાવા,નેત્રંગ)
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકામાં ભરૂચ સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જીલ્લા ભાજપ પ્રકાશ મોદીની આગેવાનીમાં તિંરગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જમ્મુ-કશ્મીરના પહેલગામમાં આંતકી હુમલામાં નિર્દોષ ભારતીયો જીવ ગુમાવ્યા હતા.કેન્દ્રની મોદી સરકારે ઓપરેશન સિંદુર મારફતે પાકિસ્તાનમાં આંતકી ઠેકાણાઓને નષ્ટ-નાબુદ કરતાં તેના વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.જેમાં દેશની સેનાનું આન-બાન-શાન અને શૌર્યને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરાય રહ્યું છે.જેમાં નેત્રંગના જીનબજાર વિસ્તારથી નેત્રંગ ચાર રસ્તા સુધી હાથમાં તિરંગા-દેશભક્તિના ગીતો સાથે ભારે હર્ષોઉલ્લાસ સાથે તિરંગા યાત્રા નિકળતા વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.નેત્રંગ ચાર રસ્તા ઉપર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.જેમાં ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા,નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા,નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ વસાવા,મહામંત્રી પાર્થ ત્રિવેદી અને તાલુકા-જીલ્લા પંચાયતના સભ્યો તેમજ સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is