– અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના પ્રમુખ અને શ્રી ખોડલધામના ટ્રસ્ટી હિંમત શેલડીયા સહિત કન્વીનરો ઉપસ્થિત રહ્યા
ભરૂચ,
લેઉવા પાટીદાર સમાજના મધ્યસ્થ છત્ર સમાન શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા અને ચેરમેન નરેશ પટેલ આજરોજ અંકલેશ્વર સ્થિત દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ કાર્યાલય ખાતે આજરોજ શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા, આ પ્રસંગે શ્રી ખોડલધામના ટ્રસ્ટી અને અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસિયેશનના પ્રમુખ હિંમત શેલડીયા, ટ્રસ્ટી મનસુખ રાદડિયા, ટ્રસ્ટી પંકજ ભુવા સહિત દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલા સમિતિ કન્વીનર, ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર, સહ કન્વીનર,ભરૂચ જીલ્લા ખોડલધામ મહિલા સમિતિના કન્વીનર સહ કન્વીનર અને ટીમ,અંકલેશ્વર શહેર સમિતિ કન્વીનર ટીમ તથા અંકલેશ્વર ખોડલધામ યુવા સમિતિના કન્વીનર તથા સહ કન્વીનર ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ પટેલની ઉપસ્થિતિમાં સમાજના સંગઠન બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.ઉપરાંત રાજકોટ નજીકના અમરેલી ખાતે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી ઉપરાંત આગામી દિવસોમાં ભરૂચ જીલ્લાના આમોદ તાલુકા ભરૂચ તાલુકા નર્મદા જીલ્લા તથા માંડવી તાલુકામાં નરેશ પટેલના મીટીંગ બાબતના કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ ઉપરાંત અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસિયેશનના પ્રશ્નો બાબતે મદદરૂપ થવા અને સહકાર આપવા નરેશ પટેલે ખાત્રી આપી હતી અને જણાવ્યું હતું કે સમાજના માટે હર હંમેશ કામ કરા રહીએ એવું સરસ મજાનું માર્ગદર્શન આપી અંકલેશ્વર સ્થિત દક્ષિણ ગુજરાત ખોડલધામ કાર્યાલયની સમીક્ષા કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is