best news portal development company in india

ભરૂચ મામલતદાર કચેરી સામેના ગેરકાયદેસર ઝૂંપડા અને દબાણો દૂર કરાયા

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરમાં મામલતદાર કચેરી તથા કલેક્ટર કચેરી સંકુલની સામે વર્ષોથી વસવાટ કરતાં ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથધરી છે.આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી ૫૦થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.દબાણ હટાવ અભિયાન દરમ્યાન કોઈપણ અણઘટના બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવી હતી.આ ઝૂંપડાઓ સરકારી જમીન પર અનાધિકૃત રીતે બાંધવામાં આવ્યા હતા અને તંત્રની  સૂચનાઓ છતાં દબાણો દૂર ન થતાં આ પગલું ભરાયું છે.આ કામગીરીથી કલેક્ટર કચેરીના આસપાસનો વિસ્તાર હવે દબાણમુક્ત બન્યો છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!