best news portal development company in india

હરસિદ્ધિ મંદિર રાજપીપલાના વિકાસ માટે મળેલી બેઠકમાં રોષે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાનો વોક આઉટ

SHARE:

– વોક આઉટ બાદ રાજપીપળા હિન્દુ દેવસ્થાન કમિટી માંથી ખજાનચી અને કચેરી અધ્યક્ષનું રાજીનામુ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરનો ૬ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે.જે અંગે ક્લેકટર કચેરી ખાતે મંદિરના વિકાસ માટે ક્લેક્ટરની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી.જેમાં ટ્રસ્ટીઓ,ધારાસભ્ય અને સાંસદ હાજર રહ્યા હતા. મંદિરના વિકાસ માટે આજુબાજુના લોકોને ખાલી કરાવી પ્રોટેક્શન વોલ તોડવાની કામગીરી કરી એકદમ ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને સાંસદ વિક્ષ્ય કે દીવાલ તોડો છો તો તેની પાછળ તરત નવું કામ ચાલુ કરી દો,કેવું ખરાબ લાગે છે.લોકો અમને ફરિયાદો કરે છે.આવી વાતથી માહોલ ગરમાઈ ગયો હતો.એવામાં મંદિર પરિસરમાં નવા ખજાનચી અને કચેરી અધ્યક્ષ

પ્રોજેક્ટ બતાવવા ઉભા થયા એટલે સાંસદ ગુસ્સે થયા હતા.ત્યારે આવા વહીવટદાર હોય જેનો રેકોર્ડ ગુનાહિત હોય જો આવા લોકો વહીવટ કરવાના હોય તો મારે આ મિટિંગમાં નથી રહેવું કહીને બેઠક છોડી ગયા હતા.આ મિટિંગમાં જિલ્લા કલેકટર સહિત અન્ય અધિકારી અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

જેના પ્રત્યાઘાત રૂપે હિન્દુ દેવસ્થાન કમિટીના ખજાનચી અને કચેરી અધ્યક્ષે દિનેશ પાટણવાડિયાએ રાજીનામુ આપી દીધું છે.તેમણે રાજીનામામાં લખ્યું હતું કે મારા અંગત કારણસર રાજપીપળા શહેર હિન્દુ દેવસ્થાન કમિટી રાજપીપળામાં મારાથી ખજાનચી અને કચેરી અધિકારીની જ બજાવી શકો એમ ના હોય મારું સ્વેચ્છાએ રાજીનામું આપું છું.જેનો સ્વીકાર કરવા નમ્ર વિનંતી અને એમાં લખ્યું છે કે, ટૂંકા ગાળામાં મંદિરના વહીવટમાં હરસિદ્ધિની કૃપાથી કરેલા કામગીરીમાં આપેલ તમામ નાની અનામી સર્વેનો હૃદયપૂર્વક આભાર માનું છું.આમ દિનેશ પાટણવાડીયાએ રાજીનામું આપતા હરસિધ્ધિ માતાના મંદિરના વહીવટને લઈ રહેલા વિવાદનો મામલો થાળે પડ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!