best news portal development company in india

AMRUT 2.0 અને DAY-NULM કાર્યક્રમના સહયોગથી ભરૂચની ૫૦ થી વધુ સખી મંડળની બહેનોને માહિતી આપવામાં આવી

SHARE:

ભરૂચ,

શહેરી વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણ માટે ભારત સરકારે ‘અમૃત મિત્ર’ નામની નવી ઝુંબેશ શરૂ કરી છે.આ પહેલ “એક પેડ મા કે નામ” અભિયાનથી પ્રેરિત છે.ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે AMRUT 2.0 અને DAY-NULM કાર્યક્રમના સહયોગથી આ અભિયાન શરૂ કર્યું છે.

ભરૂચ નગરપાલિકામાં આ ઝુંબેશની માહિતી આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ અને અન્ય અધિકારીઓની હાજરીમાં ૫૦ થી વધુ સખી મંડળની બહેનોને માહિતી આપવામાં આવી હતી.આ અભિયાન ત્રણ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં ૨૧ થી ૨૩ મે દરમ્યાન વૃક્ષારોપણ માટે યોગ્ય સ્થળોની પસંદગી કરવામાં આવનાર છે જેમાં ભરૂચમાં ગેલાની કૂવા પાસે આવેલા વાવ ફળિયા નજીક સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.

શહેરના પ સખી મંડળ માંથી ૧૫ બહેનોની પસંદગી કરવામાં આવી છે.બીજા તબક્કામાં ૫ જૂનથી ૩૧ ઓગસ્ટ સુધી વૃક્ષારોપણ કરવામાં આવશે.તો ત્રીજા તબક્કામાં ૧ થી ૨ વર્ષ સુધી વાવેલા વૃક્ષોની દેખરેખ અને સંભાળ રાખવામાં આવનાર છે.

આ ઝુંબેશમાં ‘વૃક્ષો માટે મહિલાઓ’ અંતર્ગત સ્વ-સહાય જૂથોની મહિલાઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.તેઓ માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ વૃક્ષોની જાળવણી અને ઉછેરની જવાબદારી પણ નિભાવશે.આ પહેલ મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસ તરફનું એક મહત્વનું પગલું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!