– પૂજ્ય પ્રબોધજીવન સ્વામીની ઉપસ્થિતિમાં મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી કરાઈ
આમોદ,
આમોદમાં કાછીયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પ્રાર્થનાં મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.પરિવારોમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો નિર્વ્યસની બની તેમનામાં ધાર્મિકતા પ્રગટે તેવા ગુરુહરિ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજીના સંકલ્પને સાકાર કરવા પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવસ્વામીજી નવનિર્મિત હરિ પ્રબોધમ પ્રાર્થનાં હોલમાં ઠાકોરજી તેમજ ગુરુ મહારાજોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા પ્રાદેશિક સંત ચિંતનસ્વામીના હસ્તે મહાપુજાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવનસ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી સૌ ભકતોને આશિર્વાદ આપ્યાં હતાં અને રાજીપો વ્યક્ત કર્યો હતો.સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામા આવ્યું હતું.ત્યાર બાદ રાત્રીના આઠ કલાકે ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી સંતોના વક્તવ્યને ધ્યાનપુર્વક સાંભળી જીવન ઉપયોગી બનાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is