(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે આજે હિન્દૂ વિરાટ સંમેલન સ્વામિનારાયણ જ્ઞાનપીઠ વાપી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં આદિવાસી સમાજ માં ધર્મ પરિવર્તનના કિસ્સાઓ ખૂબ બને છે.જેને લઈને આ સંમેલન અહીં રાખવામાં આવ્યું હતું.સંમેલનમાં સાંસદ મનસુખ વસાવાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે મિશનરી વાળાએ ધર્મપરિવર્તન કરાવવા માટે રસ્તા બદલા છે.સમાજને આપણે સાવધાન કરવો પડશે.
સંતો મહંતો એ પોતાનો મઠ છોડવાની જરૂર નથી. પણ આપણી સનાતની સંસ્કૃતિને જાળવવા માટે અહીં સુધી આવું પડે છે.કેટલાક વિદેશી લોકો આદિવાસી સમાજના લોકોને પ્રલોભનો આપીને પછી ધર્મપરિવર્તન કરાવવામાં આવે છે. મિશનરીવાળા હવે હોસ્પિટલ અને શિક્ષણમાં પ્રલોભનો આપી ને ધર્મપરી કરાવે છે આવું કરવાવાળાને આપણે રોકવા પડશે.આદિવાસી સમાજના લોકોને હિન્દૂ ધર્મ તરફ વાળવા પડશે.ધર્મપરિવર્તન ન કરે તે માટે સાચી દિશા બતાવવા માટે આજે સંતો અને મહંતો અહીં એકત્ર થયા છે.આ પ્રસંગે કપિલેશ્વર સ્વામી (સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, વાપી) એ પણ માહિતી આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is