– રાજપારડી અવિધા રોડ ઉપર પણ ઝાડ પડતા વાહન વ્યવહાર ખોરવાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં છેલ્લા વીસ દિવસમાં સતત ત્રીજી વાર ગત મધરાત્રે વાવાઝોડા સાથે વરસાદે ઝઘડિયા તાલુકામાં તોફાન મચાવ્યું હતું.રાજપારડી,અવિધા, ભાલોદ તેમજ તરસાલી ગામે ભારે પવન સાથે વરસાદે તબાહી મચાવી હતી.
ઝઘડિયા પંથકમાં ભારે પવમન સાથે સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો.મધરાત્રે અચાનક જ ભારે પવન ફૂંકાતાં રાજપારડી ગામે મેઈન બજારમાં આને વર્ષો જુનું એક લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું.મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં ત્રણ જેટલી દુકાનોને પણ નુક્સાન થયું હતું.તો બીજી તરફ રાજપારડીથી અવિધા જતા મુખ્ય રોડ ઉપર પણ ઝાડ તુટી પડતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.
રાજપારડી મેઈન બજારમાં પણ ભાલોદ ને જોડતા રોડ ઉપર ઝાડ પડતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.તો મહદ અંશે ટ્રાફિક સમસ્યા સર્જાય હતી.જવાબદારી તંત્ર દ્વારા ઝાડ કાપી રસ્તો પુન: શરૂ કરાયો હતો.મધરાત્રે પવન સાથે વરસાદે તોફાન મચાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.ખાસ કરીને કેળ તથા આંબાને નુકસાન જોવા મળ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is