(ભાવેશ પંડ્યા,ઝઘડીયા)
હવામાન વિભાગની આગાહીના પગલે ગજરોજ ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો l.જેના કારણે અનેક વિસ્તારોમાં મકાનો છતો ઉડી જવા સાથે કેટલાક વૃક્ષો ધરાશાય થયા હતા.ત્યારે બીજી તરફ ઝઘડિયા તાલુકાના નદી કાંઠા વિસ્તારના ખેતરોમાં વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના ખેતરોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઝઘડિયા તાલુકાના ભાલોદ, ઓરપટાર,ટોથિદ્રા, તરસાલી,વણકપોર,કૃષ્ણપરી,રુંઢ,ઈન્દોર પાણેથા, અશા, વાસણા જેવા નદીકાંઠા વિસ્તારના ગામના ખેતરોમાં કેળના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.પાક લેવાની તૈયારીના સમયે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા ઠળિયા મૂળ માંથી ઉખડી જમીન દોષ થયા છે.જેના કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.ખેડૂતોનું કહેવું છે કે તેમણે ખૂબ મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, જે એક ઝટકામાં પવન અને વરસાદના કારણે નષ્ટ થઈ ગયો.સરકાર પાસે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક પાક નુકસાનીનું સર્વે કરીને અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવે જેથી તેઓ ફરીથી ખેતી શરૂ કરી શકે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is