– પાલિકા પાસે પોતાની પાણીના ટેસ્ટ માટેની લેબોરેટરી હોવા છતાં ખાનગી લેબોરેટરીમાં કરાવું પડે છે ટેસ્ટ
ભરૂચ,
ભરૂચ રેલ્વે સ્ટેશન સર્કલ પાસે નગરપાલિકા દ્વારા ૨૦૧૨ માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય પુરાણી ન હસ્તે પાણીની ગુણવત્તા માપવા માટે ખાસ ટીડીએસ લેબોરેટરીનું બાંધકામ કરવામાં આવ્યું હતું.લાયકાત ધરાવતાં સાધનો સાથે તૈયાર કરાયેલ આ લેબ માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.છતાં આજે પણ આ લેબ કાર્યરત થવાની રાહ જોઈ રહી છે,કારણ કે તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈપણ કર્મચારીની નિમણૂક કરવામાં આવી નથી.આ લેબોરેટરીનો મુખ્ય ઉદ્દેશ નગરપાલિકા વિસ્તારમાં પાણીનું ટીડીએસ સ્તર નિયમિત રીતે ચકાસવો હતો.પરંતુ કર્મચારી અભાવને કારણે તમામ સાધનો નિષ્ક્રિય સ્થિતિમાં ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે.પરિણામે જયારે પણ પાણીના નમૂનાનું પરીક્ષણ કરાવવાની જરૂર પડે છે, ત્યારે નગરપાલિકાને ખાનગી લેબમાં પરીક્ષણ માટે રૂ. ૧૦,૦૦૦ થી ૧૫,૦૦૦ જેટલો ખર્ચ કરવો પડે છે.આ મુદ્દે પાલિકા ના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદેએ આક્ષેપ સાથે માંગ કરી છે કે તાત્કાલિક કર્મચારી નિમણૂક કરીને લેબને કાર્યરત કરવામાં આવે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “લાખો રૂપિયાના સાધનો અને બાંધકામ બાદ પણ તેમનો યોગ્ય ઉપયોગ ન થવો તંત્રની નિષ્ફળતા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is