best news portal development company in india

રામજી મંદિર ટ્રસ્ટ કેરવાડા દ્વારા નાહીયેર ગામે તમાકું નિષેધ દિવસની ઉજવણી કરાઈ

SHARE:

આમોદ,
રામજી મંદિર અને અંબાજીધામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ કેરવાડા દ્વારા આમોદ તાલુકાના નાહિયેર ગુરુકુળ ખાતે સામાજીક જાગૃતિના ભાગરૂપે ૩૧ મી મે ‘તમાકુ નિષેધ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.૩૧ મી મે વિશ્વમાં તમાકું નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે નાહિયેર ગુરુકુળ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના અઘ્યક્ષ સ્થાને જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં ધારાસભ્ય તેમજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરફથી ‘જન જાગૃતિ પેમ્પલેટ વિમોચન કાર્યક્રમ’ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.આ ઉપરાંત પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ પ્રસંગે ડૉ.યોગેશ કોઠારીએ જણાવ્યુ હતું કે તમાકું નિષેધ દિવસ નિમિત્તે અમોએ બે હજારથી વધુ જન જાગૃતિ પેમ્પલેટ છપાવ્યા છે.જેનું વિમોચન ધારાસભ્ય ડી.કે.સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું.જે જન જાગૃતિ પેમ્પલેટ અમો ઉઘડતી શાળાએ આમોદની દરેક શાળામાં વિતરણ કરી યુવાનો વ્યસનો છોડી નીરોગી રહે તેવો ગામેગામ સંદેશો આપીશું.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કેરવાડા ગામના રામજી મંદિર અને અંબાજી ધામ ટ્રસ્ટની આવી સરાહનીય કામગીરીને બિરદાવી હતી.અને તમાકું નિષેધ દિવસ નિમિત્તે લોકોને વ્યસન મુક્ત થવાનો સંદેશો આપ્યો હતો.
આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના સભ્ય સંજયસિંહ રાજ,કેરવાડા ગામના આગેવાન કિશોરસિંહ કપલેટિયા,સંગ્રામસિંહ કપલેટિયા ડૉ.યોગેશભાઈ કોઠારી,દશરથસિંહ જાદવ, દર્શનસિંહ રાજ,જયેન્દ્રસિંહ સિંધા,રાહુલસિંહ પરમાર,યુવરાજસિંહ રાઠોડ,રવિગીર ગોસ્વામી સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!