ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીની બેઈલ કંપનીએ વરસાદની આડમાં પ્રદૂષિત પાણી ખુલ્લી વરસાદી ગટરમાં છોડ્યું હતું.કંપની આ કૃત્ય કરતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.જીપીસીબી બાદ હવે નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ પણ કંપનીને નોટિસ પાઠવી છે.
ગત ૨૯ મેના રોજ બેઈલ કંપનીએ નોટિફાઈડ વિભાગની હસ્તકની વરસાદી કાંસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કર્યો હતો.જીપીસીબી અને મોનિટરિંગ ટીમે પ્રદૂષિત પાણીના નમૂના લીધા હતા.આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે.
નોટિફાઈડ વિભાગે કંપની સામે કાર્યવાહી શરૂ કરી છે.વિભાગની હસ્તકની વરસાદી કાંસને નુકસાન પહોંચાડવા બદલ કંપનીને નોટિસ આપવામાં આવી છે.નોટિફાઈડ વિભાગના નિયમો અનુસાર લાર્જ સ્કેલ કંપનીઓ માટે ૫ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.જે દંડાત્મક કાર્યવાહીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is