best news portal development company in india

ભરૂચમાં વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વોકેથોન અને સાઈક્લોથોન યોજાઈ

SHARE:

ભરૂચ,
વિશ્વ પર્યાવરણ દિવસ નિમેત્તે આજરોજ ભરૂચમાં જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત વિભાગ દ્વારા વોકેથોન અને સાઈક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને નિવાસી અધિક કલેકટર એન આર ધાંધલ દ્વારા લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.જે રેલીનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત કરવાનો છે.રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી અને વધુ વૃક્ષ વાવીએ અને આવનારી પેઢીને સારું વાતાવરણ પ્રદાન કરીએ છે.
આ રેલીમાં નિવાસી અધિક કલેકટર એન.આર. ધાંધલ,ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી, પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, જિલ્લા રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલ,જિલ્લા યુવા વિકાસ અધિકારી તથા આર.એફ.ઓ મહાવીરસિંહ ડાભી તથા ભરૂચ જિલ્લા સાઈકલિસ્ટ ગ્રુપ, રનિંગ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિકટ મુક્ત ભારતની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.હોમગાર્ડ અને પોલિસના જવાન સહિત રમતગમતના ખેલાડીઓ.તથા અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ભરૂચના રસ્તાઓ પર સુત્રોચાર કર્યા હતા. રેલી પૂર્ણ થયા પછી કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રેલી કલેક્ટર કચેરીથી નીકળી શક્તિનાથ થઈ પાંચબત્તી અને ત્યાંથી શાલીમાર થઈ કલેક્ટર કચેરીએ પૂર્ણ કરવામાં આવી હતી.આ સિવાય આ રેલીમાં ભાગ લેનાર તમામને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!