(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે પોલીસ મથકમાં પીસીઆર વાન ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા એએસઆઈ બચ્ચનભાઈના ૫૮ મા જન્મદિવસ નિમિત્તે જરૂરતમંદોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.હાલ ચોમાસું શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે સ્વાભાવિક જ સહુને છત્રીની જરૂર પડે, વળી બચ્ચનભાઈ આગામી તા.૩૦ મી જુનના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થવાના છે,ત્યારે તેમના દ્વારા તેમના ફરજ દરમ્યાન નિવૃત્તિ સમયે આવેલ જન્મ દિવસને યાદગાર બનાવવા એમ્બ્યુલન્સ સ્ટાફ, પેટ્રોલ પંપ સ્ટાફ વિ.જેવા ફરજ દરમ્યાન છત્રીની જરૂર પડતી હોય તેવા લોકોને છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઝઘડિયા પીઆઈ એન.આર.ચૌધરીએ ઉપસ્થિત રહીને તેઓને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.છત્રી વિતરણ દરમ્યાન તેમની સાથે ઝઘડિયા પોલીસ સી ટીમની બહેનો કલાવતીબેન,વાસંતીબેન,નિમિશાબેન તેમજ બચ્ચનભાઈની દિકરીઓ,એડવોકેટ આશાબેન અને કરિશ્માબેન ઉપસ્થિત રહ્યા હતા અને છત્રી વિતરણ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો.ઉપરાંત તેમના જન્મદિન નિમિત્તે સાથી પોલીસ કર્મીઓએ પણ તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવીને તેમનું આગળનું જીવન સુખમય રહે તેવી લાગણીસભર શુભકામનાઓ પાઠવી હતી.જન્મદિન નિમિત્તે શુભેચ્છા આપનાર સહુ પ્રત્યે બચ્ચનભાઈએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is