best news portal development company in india

નર્મદામાં દીપડાનો વધુ એક જીવલેણ હુમલો : સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની મુલાકાત લીધી

SHARE:

– માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદામાં દીપડાનો વધુ એક જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે.નર્મદા જિલ્લામાં જંગલી માનવભક્ષી દીપડાની દહેશતથી ગામડાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
ગત શુક્રવારે કોલવાણ ગામમાં નવ વર્ષ બાળકી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી અને એ ઘટના હજુ થોડા જ દિવસ થયા અને ફરી બીજી ઘટના બની કે સાગબારા તાલુકાના બેડાપાણી ગામ રહેતા 40 વર્ષીય બેબીબેન અર્જુનભાઈ વસાવા એમના ઘરમાં સુતા હતા ત્યારે સવારનાં 6 કલાકે દીપડાએ હુમલો કરી ગંભીર ઇજા કરી એક કાન જ બચકું ભરી ખાઇ ગયો, મહિલાએ બૂમરાણ મચાવતા દીપડો તો ભાગી ગયો પરંતુ દીપડાના હુમલાથી ઈજાગ્રસ્ત બનેલ જેમને ગળા નાં ભાગે અને હાથ માં ઈજા કરેલ છે અને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સાગબારા સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે થી હવે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે વધું સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી મહિલાને સારવાર કરાવડાવી વડોદરા રીફર કરવામાં પરિવાર ની મદદ કરી સાથે નર્મદા જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોવા છતાં આ મહિલાને વડોદરા રીફર કરવી પડે એ ખૂબ ખરાબ કહેવાય અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી યોગ્ય ડોકટરો ને રાજપીપળા મુકે એવી વાત સાંસદે કરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!