આમોદ,
કેન્દ્ર સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૧ વર્ષ પૂર્ણ થતાં ભાજપ સરકારના સેવા અને સુશાસનના કાર્યોને ઘરે ઘરે સુઘી પહોચાડવા માટે આમોદ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઇ હતી.ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પો કરી સિધ્ધિ મેળવી છે તેવા કાર્યોને ઘરે ઘરે પહોચાડવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકાર દ્વારા ૩૭૦ ની કલમ દૂર કરવી,અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવું જેવાં કાર્યોનું સંકલ્પ થી સિદ્ધિ સુઘી સમગ્ર ભારતમાં અભિયાન ચાલી રહ્યું છે.ત્યારે વડાપ્રધાન મોદીના ૧૧ વર્ષમાં ગરીબોને મફત રાશન, ખેડુત સન્માન નિધિ, આરોગ્ય સુવિધાઓ જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે સિદ્ધિઓ લોકો સુઘી પહોચાડવા માટે આમોદ સ્વામિનારાયણ સ્કુલ ખાતે કાર્યશાળા યોજાઈ હતી.જેમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પ્રતીક્ષાબેન પરમાર,જીલ્લા ભાજપના મહામંત્રી ફતેસિંહ ગોહિલ, ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ઉપસ્થિત ભાજપના હોદેદારો તેમજ કાર્યકરો અને આમોદ નગરપાલીકા તેમજ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીઓને માહીતી આપી હતી.આ બેઠકમાં જીલ્લા મંત્રી ઉર્મિલાબેન પઢીયાર,તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી મયુરસિંહ રાજ, હિતેશ પટેલ,શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ તેમજ આમોદ તાલુકા ભાજપ અને શહેર સંગઠન તેમજ શક્તિ કેન્દ્રના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં.ભાજપ દ્વારા આયોજીત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is