(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સાગબારા તાલુકાના કોલવાણ ગામે નાની બાળકી પર હુમલો કરનાર માનવભક્ષી દિપડો આખરે પાંજરે પુરાયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ અને બેડાપાણી ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી હિંસક દીપડા દ્વારા જીવલેણ હુમલા કરવામાં આવતા હતા.જેમાં કોલવાણ ગામની ૯ વર્ષની નાની બાળકીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી.અને બેડાપાણી ગામના એક બહેન પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેથી વન વિભાગની ટીમને જાણ કરતા ૭૦ જેટલા વન વિભાગના કર્મચારીઓની ટીમ એકશનમાં આવી દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતા. જેમાં સાંજે આ માનવભક્ષી દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.સાંસદ મનસુખ વસાવાએ આ કાર્ય બદલ વન વિભાગના અધિકારીઓ અને તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં હતા. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is