best news portal development company in india

ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે સૌભાગ્યવતી મહિલાઓએ શ્રદ્ધાભાવે વટ સાવિત્રી વ્રત ઉજવ્યું

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

ઝઘડિયા તાલુકાના ભાલોદ રાજપારડી પંથકમાં આજે હિંદુ સંસ્કૃતિના પવિત્ર તહેવાર વટ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આજના દિવસે ભાલોદ ગામે સુહાગન મહિલાઓએ પરંપરાગત વસ્ત્રાલંકારમાં સોળે શણગાર સજીને  ભક્તિ ભાવપૂર્વક વ્રતનું પાલન કર્યું હતું.

વટ સાવિત્રી વ્રત હિન્દુ સમાજમાં વિશેષ મહત્વ ધરાવતું પવિત્ર વ્રત ગણાય છે.જેમાં મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને દાંપત્ય સુખ માટે ઉપવાસ રાખીને વટ વૃક્ષની પૂજા કરે છે.વહેલી સવારે મહિલાઓ સ્થાનિક મંદિરો અને જૂના પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભેગા થઈને વટ વૃક્ષ પાસે ભક્તિભાવ સાથે પહોંચી હતી.પૂજા સામગ્રી અને થાળીઓ સાથે હાજર મહિલાઓએ બ્રાહ્મણ દ્વારા સંભળાવવામાં આવેલી વટ સાવિત્રી કથાને શ્રદ્ધાભાવે સાંભળી,વેદમંત્રોચ્ચાર સાથે વિધિવત પૂજન કર્યો હતો.

મહિલાઓએ કાચા સુતરના ઘાગા વડે વટ વૃક્ષની પ્રદક્ષિણા કરી અને નિર્જળ ઉપવાસ સાથે માતા પાર્વતીની આરાધના કરી હતી.સમગ્ર પંથકમાં આ વ્રતને લઈને ભક્તિભાવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!