ભરૂચ,
ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને અગિયાર વર્ષથી મળતી આગવી નેતૃત્વશૈલી અને વિકાસના વિઝનને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની ૧૧ વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમ્યાન શરૂ થયેલી અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસ કામો, સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવ્યા છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ,શહેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ રૂષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજનાઓ,આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું કે, મોદીજીના નેતૃત્વ હેઠળ દેશે મહત્ત્વપૂર્ણ ઉન્નતિના માર્ગે પગલા ભર્યાં છે.ભરૂચની જનતાને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ છે જેથી તેઓ પણ દેશની પ્રગતિને સમજી શકે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is