best news portal development company in india

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન નજીક મોબાઈલની દુકાનમાં ચોરી

SHARE:

ભરૂચ,

અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન નજીક ચોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ગત રાત્રે તસ્કરો દ્વારા એક વાર ફરી પોલીસને ખુલ્લો પડકાર આપતો બનાવ સામે આવ્યો છે.રેલ્વે સ્ટેશન પાસે અને પોલીસ ચોકીથી થોડે જ અંતરે આવેલી ‘ભવાની મોબાઈલ’ નામની દુકાનમાં અજાણ્યા ઈસમો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ચોર ટોળીએ રાત્રિના સમયે દુકાનની છતનું પાતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર રાખેલા હજારો રૂપિયાના કિંમતી મોબાઈલ ફોન ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા.ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા ડોગ સ્ક્વોડની ટીમને પણ તપાસમાં જોડાઈ હતી.દુકાનમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે, જેના આધારે હવે તસ્કરો સુધી પહોંચી શકાય તેવી શક્યતા વધી છે.મહત્વનું છે કે, છેલ્લા થોડા સમય દરમિયાન આ વિસ્તારમાં ચોરીની આ ત્રીજી ઘટના છે, ત્યારે વેપારીઓમાં સુરક્ષા બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને આરોપીઓ ઝડપાય તે માટે સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!