ભરૂચ,
અંકલેશ્વરમાં નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અંકલેશ્વર નજીક નર્મદા કિનારે નર્મદામૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં વિજય તિવારી અને તેઓના મોટો ભાઈ અજય તિવારી સેવક તરીકે રહે છે.થોડા દિવસ પૂર્વે વિજય તિવારીએ અંદાડા ગામના કાલુ નામનો ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો જેને જે તે વખતે અટકાવ્યો હતો.જેની રીસ રાખી કાલુ, સોનુ, ગોલુ અને અન્ય એક ઈસમ ગત તારીખ ૭મી જુનની રાતે આવ્યા હતા અને લાકડા ન કાપવા દેવાની રીસ રાખી વિજય તિવારીને માર મારી ચપ્પુની અણીએ હાથમાં પહેરેલી સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબાગીરી આશ્રમના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડ રૂપિયા ૩૦ હજારની લૂંટ ચલાવી હતી.આ સાથે જ તેમના ભાઈ અજય તિવારીને પર મારમારી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે બી ડિવિઝન પોલીસે લૂંટની ફરિયાદ નોંધી ગડખોલ પાટિયા પાસે આવેલ મેઘના એપાર્ટમેન્ટ ખાતે રહેતો મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકેર,દિપક ઉર્ફે કાલુ રાજુ શાહ,સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવા નામના આરોપીઓને પોલીસે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is