best news portal development company in india

અમદાવાદ ફ્લાઈટ ક્રેશ દુર્ઘટનાના મૃતકોના પરિવારોને શ્રદ્ધાંજલિ આપી વડોદરા શિક્ષણ સમિતિની ચોથા વર્ગની હડતાલ મોકૂફ

SHARE:

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મીઓના પ્રશ્ને અચોક્કસ મુદતની હડતાલ ચાલી રહી છે. પરંતુ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ તૂટી પડવાની દુર્ઘટનામાં 290 વ્યક્તિઓના થયેલા કરુણ મોત સંદર્ભે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દર્શાવીને સારવાર હેઠળના ઈજાગ્રસ્તો વહેલી તકે તાજા થાય એવી પ્રભુને પ્રાર્થના કરીને હડતાલ મોકૂફ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે પાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના 570 જેટલા કર્મીઓને કાયમી કરવાનો પ્રશ્ન છેલ્લા 33 વર્ષથી ચાલી રહ્યો છે, જેમાં આખરી નોટી સંદર્ભે ગઈ તા.5મીએ અચોક્કસ મુદતની હડતાલ શરૂ થઈ હતી. પરંતુ અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યાની માત્ર બે મિનિટમાં જ ક્રેશ થઈ હતી. પરિણામે 290 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાં છે. જેથી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવવા અને સારવાર હેઠળના ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હડતાલના કર્મીઓએ શુભેચ્છા પાઠવી હતી. શિક્ષણ સમિતિની કચેરીએ ચાલતી અચોક્કસ મુદતને હડતાલ માટે તંબુ પણ બાંધવામાં આવ્યા હતા. પરંતુ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપીને સારવાર હેઠળના ઈજાગ રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય એવી પ્રભુ પ્રાર્થના કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓની ચાલતી હડતાલ મોકૂફ કરાઈ હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!