ભરૂચ,
ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિયેશનના બે દિવસીય 10માં નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનની શરૂઆત શુક્રવારે કરાઈ હતી.પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવગંતોને મહાનુભવો સહિત ઉપસ્થિતોએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.સાથે જ બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું.
BDMA ના બે દિવસીય કન્વેન્શનના ઉદ્દઘાટન સમારોહમાં જાણીતા અર્થશાસ્ત્રી મોનટેક સિંહ આહલુવાલિયા, 158 વર્ષ જૂની ભારત સરકારની બાલમેર લૌરી એન્ડ કંપનીના ચેરમેન અધિપ પાલ ચૌધરી, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝના ગ્લોબલ બિઝનેસ COO કે સુરેશે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું.સાથે BDMA ના પ્રમુખ દેવાંગ ઠાકોર, કન્વેશન ચેરમેન હરીશ જોષી તથા કો.ચેરમેન પ્રવિંદાન ગઢવી સહિતના હાજર રહી સહભાગી બન્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is