– રાત્રિના સમયે સિલિકા પ્રોસેસનું કામ ચાલતું હોય તે દરમ્યાન ઈલેક્ટ્રિશિયન શ્રવણ કુમાર ગૌતમનું મરણ થયું હતું
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં અવારનવાર ઝઘડિયા જીઆઈડીસી તથા ઝઘડિયા રાજપારડી રોડ પર આવેલા સિલિકા પ્લાન્ટોમાં સુરક્ષાના અભાવના કારણે અકસ્માતો થતા હોવાનું અને તે અકસ્માતો જીવલેણ સાબિત થતા હોવાની ઘટનાઓ બનતી રહે છે. ઝઘડિયા તાલુકાના સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ ખડોલી ગામ ખાતે શિવ મિનરલ્સ નામનો સિલિકાનો પ્લાન્ટ આવેલો છે.જેના માલિક ચિરાગ મહેન્દ્રભાઈ શાહ મુંબઈ ખાતે રહે છે,ગતરોજ કંપનીના પ્લાન્ટ મેનેજર રાજકુમાર સુરેન્દ્રપાલ રાત્રિના સમયે પ્લાન્ટ પર આવેલા તેના રૂમમાં હતો.ત્યારે કંપનીમાં સ્ટોર કીપર તરીકે ફરજ બજાવતો હરિઓમ શ્રીદુર્ગા કુશવાહ પ્લાન્ટ મેનેજર પાસે આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે શ્રવણકુમાર શ્રીજોખુંરામ ગૌતમ જે પ્લાન્ટમાં ઈલેક્ટ્રિશિયન તરીકે ફરજ બજાવે છે તેનું કન્વે બેલ્ટમાં હાથ આવી જતા કન્વે બેલ્ટમાં ફસાઈ ગયો હતો.જેથી સ્થળ ઉપર તે મરણ ગયેલ છે તેમ જણાવ્યું હતું.પ્લાન્ટ મેનેજર રાજકુમાર સુરેન્દ્રપાલ સ્થળ પર જઈ તપાસ કરતા તેમણે શ્રવણ કુમારને કન્વે બેલ્ટમાં ફસાઈ ગયેલો અને મરણ હાલતમાં જોયો હતો.જેથી તેણે આ બાબતે રાજપારડી પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is