– પરિવારજનોની યોગ્ય વળતરની માગ
ભરૂચ,
ભરૂચ જીલ્લાના દહેજ GIDC વિસ્તારમાં રામદેવ કંપનીમાં કામ કરતા કામદારનું દુર્ઘટનામાં મોત નિપજ્યું છે. કામદાર બિપીન અજય મંડળ ગઈકાલે સાંજે ૬:૩૦ વાગ્યે પોતાની શિફ્ટ પૂરી કરીને હાથપગ ધોઈને બહાર નીકળી રહ્યો હતો. તે સમયે તીવ્ર પવનના કારણે કંપની પરિસરમાં મૂકાયેલો રેન્કનો ઘોડો તેના પર પડ્યો હતો.
ગંભીર ઈજાઓ થતાં બિપીનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. માત્ર ત્રણ મહિનાથી કંપનીમાં કાર્યરત બિપીનના પરિવારજનોએ કંપની પાસે ૧૦ લાખ રૂપિયાનું વળતર અને દર મહિને ૩૦ હજાર રૂપિયાની સહાયની માંગણી કરી હતી.કંપનીના અધિકારીઓએ ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની બાંહેધરી આપી છે.
દહેજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાથી કંપનીના કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is