best news portal development company in india

નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

SHARE:

– તિલકવાડા તાલુકાની જલોદ્રા વજેરીયા અને પીંછીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ

– વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડ ના સભ્યો બિનહરીફ જાહેર થયા છે

(જ્યોતિ જગતાપ,રાજપીપલાતા)

નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.જેમાં

તિલકવાડા તાલુકાની જલોદ્રા વજેરીયા અને પીંછીપુરા ગ્રામ પંચાયત સમરસ જાહેર કરાઈ છે.જયારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડ ના સભ્યો બિનહરીફ જાહેર થયા છે.

ઉલ્લેખનીય છે કે આગામી તારીખ ૨૨ ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે.આ ચૂંટણી જાહેર થતાં નર્મદા જિલ્લામાં પણ રાજકીય મહોલ ગરમાયો છે. પ્રથમ દિવસથી જ સરપંચ અને સભ્યપદના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.ખાટલા મિટીંગો અને બેઠકો શરૂ થઈ ગઈ છે.ગામે ગામ સરપંચ ઉમેદવારો ડોરતું ડોર પ્રચાર માં લાગી ગયા છે.

નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજવા જઈ રહી છે અને તિલકવાડા તાલુકામાં ૧૪ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી ત્રણ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે એટલે કે ૧૪ માંથી ૧૦ ગ્રામ પંચાયત ખાતે સરપંચની ચૂંટણી યોજાશે કારણકે પીંછીપુરા વજેરીયા અને જલોદ્રા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.આ ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને સભ્યોના તમામ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે વધેલી ગ્રામ પંચાયતમાં સરપંચ બિનહરીફ જાહેર થયા છે અને છ વોર્ડ ના સભ્યો બિનહરીફ જાહેર થયા છે માત્ર એક વોર્ડમાં સભ્ય માટે ચૂંટણી યોજાશે. એટલે કે ૧૧૬ વોર્ડ પૈકી ૬૧ વોટ માં ચૂંટણી યોજાશે અને ૫૨ વર્ડ બિનહરીફ જાહેર થયા છે. તો બીજી તરફ પેટા ચૂંટણીમાં કુલ આઠ માંથી એક ગામમાં સરપંચની ચૂંટણી યોજાશે અને બે વોર્ડ બિનહરીફ અને આઠ વોર્ડ ખાલી રહ્યા છે.આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા તેમના સમર્થકોએ જીતેલા તમામ ઉમેદવારોનું સરઘસ કાઢી ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!