(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને NDRF અને SDRFની ટીમો જુદા-જુદા જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.
આગામી સમયમાં વધુ વરસાદની સંભાવનાને પગલે આવશ્યક બચાવ કાર્ય સમયસર થઈ શકે જાન માલને નુકશાન અટકાવી શકાય તે હેતુથી રાહલ કમિશ્નરની મળેલ સૂચનાનુસાર નર્મદા જિલ્લાને SDRF ની એક ટીમ (કુલ ૩૧) સભ્યો જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં ફાળવેલ SDRFની એક ટીમ જે રાહત અને બચાવની કામગીરી કરશે. SDRF ‘એ’ કંપની રા.અ.પો.દળ જુથ-૯ વડોદરા, નર્મદા જિલ્લા કલેકટર કચેરીના સંકલનમાં રહીને ભારે વરસાદ વાવાઝોડું, પુર જેવી પરિસ્થિતિ દરમ્યાન જિલ્લામાં જનહિત, પુરની પરિસ્થિતિ દરમ્યાન સરાહનીય કામગીરી કરશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is