– સાંસદ મનસુખ વસાવા,દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય,જિલ્લા પ્રમુખ નીલ રાવ સહીત ભાજપા ના આગેવાનો કાર્યકરોએ આપી શ્રદ્ધાંજલી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નર્મદા ભાજપે રાજપીપલા કમલમ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલી આપી પ્રાર્થના સભા યોજી હતી.જેમાં સાંસદ મનસુખ વસાવા,દર્શનાબેન દેશમુખ ધારાસભ્ય,જિલ્લા પ્રમુખ નીલ રાવ સહીત ભાજપાના આગેવાનો કાર્યકરોએ આપી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનામાં 242 લોકો એ પોતાના જીવ ગુમાવ્યા છે.જેમાં ભાજપ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તેમનું પણ આ અકસ્માતમાં નિધન થયું.છે.સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં સ્વ.વિજયભાઈ રૂપાણી ને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવી રહ્યા છે.નર્મદા જિલ્લામાં કમલમ ભાજપા કાર્યાલય ખાતે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના નેતાઓ દ્વારા વિજયભાઈ સાથેના સંસ્મરણો પણ વાગોળવામાં આવ્યા હતા.ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી સમાજના લોકોને વિજયભાઈ રૂપાણી કે જે પ્રકૃતિપ્રેમી હતા અને પર્યાવરણની જાળવણી માટે પણ કાર્યો કર્યા હતા ત્યારે તેમના નામે એક વૃક્ષ વાવવા માટે અપીલ પણ કરી પ્રાર્થના કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is