– આ માર્ગ પર ભરૂચ,દહેજ,વડોદરા તરફથી માલવાહક વાહનો જીઆઈડીસીમાં આવતા હોય છે જેથી સત્વરે સમારકામ થાય તે જરૂરી બન્યું છે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા તમામ રાજ્ય ધોરીમાર્ગો તથા ઝઘડીયાથી અન્ય તાલુકાના જોડતાઓ માર્ગો અત્યંત બીસ્માર હાલતમાં જ રહે છે,જેનું મુખ્ય કારણ એવું છે કે ઝઘડિયા તાલુકા માંથી નીકળતું ખનીજ ઓવરલોડ વહન કરવામાં આવે છે.જેના કારણે ઝઘડિયા તાલુકાની આજુબાજુના અન્ય તાલુકા તથા જીલ્લાઓને જોડતા તમામ માર્ગો બિસ્માર રહેતા હોય છે.ઝઘડિયાથી વાયા ઝઘડિયા જીઆઈડીસી વાલિયાને જોડતા માર્ગ પર સેલોદ ગામ નજીકના પુલ પાસે ગાબડું પડ્યું છે,પુલ પરના બે સ્લેબ વચ્ચે ગાબડું પડ્યું હોય વાહન ચાલકોને અસલામતી લાગી રહી છે,દસકાઓ પહેલા બનેલા આ પુલ ને હાલમાં સમારકામની તાતી જરૂરિયાત ઊભી થઈ છે પુલની બંને તરફની રેલિંગ પણ ઘણી જગ્યાએ જર્જરીત થઈ છે જેથી કોઈ અકસ્માત થાય તો તે વાહન સીધું પુલ પરથી નીચે ખાબકી શકે છે,સત્વરે આ માર્ગ પર આવેલા ગાબડાનુ યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, આ માર્ગ પરથી રોજના હજારો ખાનગી તેમજ માલવાહક વાહનો ઝઘડિયા જીઆઈડીસી વાલિયા તરફ જતા હોય છે.ત્યારે પુલ પર પડેલ ગાબડાનુ સમયસર સમારકામ નહીં થાય તો આ ગાબડુ મોટું થઈ અકસ્માત સર્જે તો નવાઈ નહીં!

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is