best news portal development company in india

જંબુસર નગરપાલિકા દ્વારા સ્વરાજ ભવન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

SHARE:

(સંજય પટેલ,જંબુસર)
21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેરે ઠેર કરવામાં આવે છે.વિશ્વ યોગ દિવસને માનનીય વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ એક પૃથ્વી એક સ્વાસ્થ્યના સૂત્ર સાથે ઉજવવાનું નક્કી કર્યું છે.ત્યારે આપણા દેશના અને વિશ્વના કલ્યાણ અને સારા સ્વાસ્થ્ય સંબંધી ચિંતા કરી છે. તથા યોગ દ્વારા 21 જૂન 2015 થી પ્રગતિની દિશામાં આપણે આગે કૂચ કરી રહ્યા છે. યોગ દ્વારા માનસિક, આધ્યાત્મિક, શારીરિક,આત્મિક શાંતિ શક્ય બને છે.ત્યારે જંબુસર નગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જંબુસર સ્વરાજ ભવન ખાતે કરવામાં આવી હતી. યોગ દિવસની ઉજવણીમાં મામલતદાર એનએસ વસાવા, નાયબ મામલતદાર પુરવઠા દર્શનાબેન પરમાર, સીઓ જયદીપ ચૌધરી, તાલુકા પંચાયત તલાટી મિત્રો, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, આરએસએસ જંબુસર નગર ત્રિવિક્રમ પ્રભાત શાખા સ્વયંસેવકો, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ દરબાર, મનોજભાઈ રામી,એસ એન્ડ આઈ સી હાઇસ્કુલ સ્ટાફ,બાળકો જંબુસર વન વિભાગ કચેરી સ્ટાફ,સહિત હાજર રહ્યા હતા, યોગ ટ્રેનર તરીકે ભર્તુહરી જાદવે યોગ અંગે સવિસ્તાર માહિતી આપી યોગથી થતા ફાયદા જણાવી યોગાસનો, પ્રાણાયામ કરાવ્યા હતા. અને ભારતીય સંસ્કૃતિની ધરોહર જાળવી રાખવા યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!