best news portal development company in india

ઝઘડિયાના પીપલપાન ગામે મતદારોને રૂપિયાની લ્હાણી કરાવતા સરપંચના ઉમેદવારના બે સાગરીતો ઝડપાયા

SHARE:

– રાત્રે ૧૨ વાગ્યે સરપંચના ઉમેદવાર પદમા વસાવાને મત આપવા એક મતના ૫૦૦ રૂપિયાની વહેંચણી કરતા હતા

– મત માટે રૂપિયા વહેંચણી કરતા બે સાગરીતો રંગે હાથ ઝડપાતા ૩૫,૫૦૦ રોકડા રૂપિયા ચૂંટણી અધિકારીએ કબ્જે કર્યા

– વિજેન્દ્રસિંગ વસાવા અને મોતીસિંગ વસાવા બંને વિરુદ્ધ આચાર સંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકામાં ૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી સહિત અન્ય ગ્રામ પંચાયતના એક એક વોર્ડની પેટા ચૂંટણી ગતરોજ તા.૨૨ મીએ યોજાય હતી.સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પણ મતદારોના મત અંગે કરવા માટે ખેલ ખેલાતા હોય છે.ઝઘડિયા તાલુકા પંચાયતની પીપલપાન ગામની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં ગતરોજ એટલે કે તા.૨૧ મીના રાત્રે પીપલપાન ગામના શર્મિલાબેન ભરતભાઈ વસાવા પણ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.ફરિયાદી અને સરપંચના ઉમેદવાર શર્મિલાબેન ભરતભાઈ વસાવા એ ચૂંટણી અધિકારીને પીપલપાન ગામમાં આચાર સંહિતાનો ભંગ થતો હોવાની લેખિતમાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે પીપલપાન ગામના અન્ય સરપંચના ઉમેદવાર પદમાબેન ફતેસંગભાઈ વસાવાના માણસો (૧) વિજેન્દ્રસિંગ ડાહ્યાભાઈ વસાવા (૨) મોતીસિંગ લક્ષ્મણભાઈ વસાવા બંને રહે. પીપલપાન તા.ઝઘડિયા નાઓ રાત્રિના ૧૨ કલાકે ગામના નિશાળ ફળિયા વિસ્તારમાં સરપંચ ઉમેદવાર પદમાબેનને વોટ અપાવવા એક વોટના રૂપિયા ૫૦૦ લેખે વહેંચણી કરતા હતા.જેની લેખિતમાં રજૂઆત કરી હતી.આચાર સંહિતા  ભંગની ફરિયાદના અનુસંધાને ચૂંટણી અધિકારીની ટીમ દ્વારા પીપલપાન ગામે નિશાળ વાળા ફળિયામાં વિતરણ કરતા એક વોટના રૂપિયા ૫૦૦ ના ઉમેદવારની પૂછપરછ કરી હતી અને તેઓના સાગરીતો પાસેથી રૂપિયા ૩૫,૫૦૦ જે વિતરણ કરવા માટે રાખ્યા હતા તે કબ્જે લેવામાં આવ્યા હતા.ચૂંટણી પંચ દ્વારા આચારસંહિતા ભંગની ફરિયાદના અનુસંધાને (૧) વિજેન્દ્રસિંગ ડાહ્યાભાઈ વસાવા તથા (૨) મોતિસિંગ લક્ષ્મણભાઈ વસાવા બંને રહે.પીપલપાન તા.ઝઘડિયા વિરુદ્ધ આચાર સંહિતાના ભંગ બદલ ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!