best news portal development company in india

ભરૂચ શહેર અને જીલ્લા માંથી વિવિધ સ્થળોએથી આવતીકાલે રથયાત્રાને નીકળશે

SHARE:

ભરૂચ જીલ્લા પોલીસ ખડેપગે રહેશે તહેનાત

– ભરૂચના ફુરજા બંદરેથી ૩ અલગ અલગ રથમાં,શીતલ સર્કલથી ઈસ્કોન મંદિર દ્વારા,આશ્રય સોસાયટી માંથી એક જ રથમાં ઉડિયા સમાજ દ્વારા તો અંકલેશ્વરમાં પણ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળશે

ભરૂચ,

ભરૂચ શહેર માંથી ત્રણ અલગ આગળ સ્થળોએથી અને અંકલેશ્વર માંથી બે સ્થળોએથી ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રા આવતીકાલે અષાઢી બીજના દિને નગરચર્યાએ નીકળનાર હોવાના કારણે આયોજકો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ રથયાત્રાના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી  રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ શહેરમાં ૨૫૦ વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથની પૂજાની રથયાત્રા માટે ૩ અલગ-અલગ રથ તૈયાર કરવામાં આવ્યા છે.ત્રણેય રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવશે અને નગરચર્યાએ નીકળનાર છે.જેના પગલે આયોજકો પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે.સાથે ભરૂચની આશ્રય સોસાયટી નજીક પણ ભગવાન જગન્નાથ મંદિરેથી ઉડિયા સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની એક જ રથમાં નગરચર્યાએ નીકળનાર છે.જેને લઈ રથ તૈયાર કરવામાં આવ્યો છે.તો ભરૂચના શીતલ સર્કલ નજીકથી ઈસ્કોન સમિતિ દ્વારા પણ ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઈ ઇસ્કોન સમિતિ દ્વારા પણ એક જ રથમાં ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને બિરાજમાન કરવામાં આવનાર છે.આ ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાઓ નીકળનાર છે.

રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાયતે માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની આગેવાનીમાં ભરૂચના વિવિધ રથયાત્રા રોડ ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવા સાથે રથયાત્રાના દિવસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે.જેના પગલે ભરૂચ શહેરમાં ત્રણ સ્થળેથી નીકળનારી રથયાત્રામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે સતત પોલીસ ખડે પગે ફરજ નિભાવનાર છે.

અંકલેશ્વરમાં પણ બે સ્થળોએ થી ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરી નગરચર્યા એ ભગવાન નીકળશે જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

રથયાત્રામાં સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ફરજ નિભાવનાર છે સાથે પોલીસ કર્મચારીઓ બોડી વન કેમેરા સાથે તેના રહેશે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાય તે માટે મોટી માત્રામાં પોલીસ ખડે પગે ફરજ નિભાવનારી છે વિવિધ પોલીસ મથકોમાંથી રથયાત્રામાં પોલીસ કર્મીઓને ફરજ નિભાવવા માટે પોઈન્ટો આપવામાં આવ્યા હતા.

રથયાત્રા દરમ્યાન ડીવાયએસપી, પીઆઈ સહિત એસઆરપીની ટુકડી મળી કુલ એક હજારથી વધુ સુરક્ષાકર્મીઓ સહિત ડ્રોન અને બોડી વન કેમેરા સાથે પોલીસ બંદોબસ્તમાં તહેનાત રહેશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!