best news portal development company in india

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિરથી નિકળેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં મોટી સંખ્યમાં ભક્તો જોડાયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

રાજપીપળા રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની રથયાત્રા વાજતે ગાજતે નિકળી હતી.ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતાં. ત્યારે  દોરડાથી રથ ખેંચી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

રથયાત્રા કાઢતા પહેલાં રાધાકૃષ્ણ મંદિરમાં ભક્તોએ આરતી પૂજા કરીહતી.ત્યારબાદ નિકળેલી રથયાત્રામાં ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુમ્બે ,રાજપીપળા પાલિકા પ્રમુખ ધર્મીસ્થાબેન પટેલ,સિધેશ્વર સ્વામિ,જિલ્લા ભાજપા પ્રમુખ નીલ રાવે ભગવાનની પૂજા કરી હતી. પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ સહીતતથા અન્ય  આગેવાનો તેમજ રથયાત્રા કમિટીનાં સભ્યો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ ભગવાનનો રથ દોરડા વડે ખેંચી રથયાત્રા આગળ વધારી હતી.

રથયાત્રા લાલ ટાવર પાસે પહોચતા મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ કાદરી, સાહિનૂર પઠાણ સહીતના બિરાદરોએ રથયાત્રાનું, ભગવાનનુ તથા દરેક મહાનુભવો અને પોલીસ અધિકારીઓનું પુષ્પ ગુચ્છ વડે સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ. પૂરું પાડ્યું હતું.ત્યાર બાદ રથયાત્રા આગળ વધતા રણછોડજી મંદિર ખાતે પહોંચી હતી.જ્યાં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આમ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું.રથ યાત્રા દરમ્યાન પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!