best news portal development company in india

ઝઘડિયાના રાણીપુરા ગામે પ્રાથમિક શાળામાં નવા દાખલ થયેલ બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો

SHARE:

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આજરોજ પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તા.પં સદસ્ય વિશાલ પટેલ,તાલુકા ભાજપા પ્રમુખ સંદિપભાઈ, તાલુકા ભાજપા મહામંત્રીઓ વિનોદભાઇ વસાવા તેમજ વિક્રમસિંહ રાજ, ગામના સરપંચ મીતાબેન વસાવા તેમજ અન્ય અગ્રણીઓ,શિક્ષકો અને બાળકોના વાલીઓ  ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળામાં નવા દાખલ થનાર બાળકોને કુમકુમ તિલક કરીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ અવસરે નવો પ્રવેશ મેળવનાર બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.અત્રે ઉપસ્થિત અગ્રણીઓએ કસ્તુરબા ગાંધી વિદ્યાલયની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છેકે શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરુઆત થતાં બાળ વાટિકા અને પહેલા ધોરણમાં નાના ભુલકાઓનું આગમન થતું હોય છે. અને નવા દાખલ થનાર બાળકોને શાળામાં આવકારવા પ્રવેશોત્સવ યોજાય છે, પ્રવેશોત્સવ દ્વારા બાળકોને શાળામાં વિધિવત પ્રવેશ અપાય છે,વળી વિવિધ દાતાઓ તરફથી બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. શાળાઓમાં શિક્ષણની સાથેસાથે યોજાતા આવા વિવિધ કાર્યક્રમોથી બાળકોમાં ભણવા પ્રતિ ઉત્સાહનો સંચાર થાય છે તેથી શાળાઓમાં યોજાતા આવા કાર્યક્રમ આવકારદાયક ગણાય છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!