best news portal development company in india

ઝઘડિયાના રૂમાલપુરા ગામે શાળા પ્રવેશોત્સવ દરમ્યાન કોંગ્રેસ આગેવાને શિક્ષણ બાબતે સવાલ ઉઠાવ્યા

SHARE:

– ઝઘડિયા તાલુકામાં શિક્ષણ ખાડે ગયું છે જેથી‌ આદિવાસી સમાજના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકામાં ઠેર ઠેર ગામડે ગામડે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના સાંસદ,ધારાસભ્ય,જિલ્લા તાલુકાના પદાધિકારીઓ,અધિકારીઓ,પક્ષના સંગઠનના હોદ્દેદારોની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યા છે.

ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામે આજરોજ તાલુકા શિક્ષણ અધિકારીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.જેમાં કોંગ્રેસના આગેવાન ધનરાજ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે રાજ્યમાં શિક્ષણ બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧૬૦૦ જેટલી શાળાઓ શિક્ષકો વગરની છે! જ્યાં શિક્ષક આવતા નથી, કેટલાક ગામડાઓમાં વર્ગખંડો નથી! શાળાઓએ જવા માટે સુવિધા નથી અને પ્રવેશ ઉત્સવ દરમ્યાન મોટી મોટી વાતો કરતા ધારાસભ્યો અને જિલ્લા પંચાયતના પ્રમુખને તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે તમારા દ્વારા સરકારમાં શિક્ષણ અને શિક્ષકો બાબતે કેટલી અને શુ શુ રજૂઆતો કરવામાં આવી હતી.આજે ઝઘડિયા તાલુકામાં શિક્ષણ ખાડે ગયું છે,આદિવાસી સમાજના અને અન્ય સમાજના બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે,તો તેના માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા બેટી પઢાઓ બેટી બચાવો, પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા જેવા સૂત્રો બોલવામાં આવે છે પરંતુ તે વાસ્તવમાં સાર્થક થતા નથી, કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત તાલુકા શિક્ષણ અધિકારીને તેઓએ રૂમાલપુરા અને ફીચવાળા જેવા ગામોમાં શિક્ષક નથી તે બાબતની ધટ પૂરી કરવા માટે રજૂઆત કરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!