(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણમાં ભોજનમાં જીવાત હોવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
જંબુસર પંથકની આંગણવાડીઓની કામગીરી ને લઇ વખતો વખત વિવાદમાં આવે છે.આંગણવાડી ઓફિસના અધિકારી ઓફિસમાં બેસી ફક્ત લોકેશન આધારિત વિતરણ ફોટા, વાહ વાહીના ફોટાઓ મંગાવી આનંદ વ્યક્ત કરતા હોય તેમ લાગી રહ્યું છે.આંગણવાડી વર્કર બહેનો દ્વારા બાળકોને નાસ્તામાં શું અને કેવી ગુણવત્તાવાળું ભોજન પીરસવામાં આવ્યું છે તેની તપાસ થતી નહીં હોય તેમ લાગી રહ્યું છે.આંગણવાડીમાં ભરેલ અનાજની તપાસ થાય છે ખરી?
હાલમાં જંબુસર તાલુકાના દેહગામ ગામની આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણમાં બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું તેમાં મંકોડા, ધનેરા જેવી જીવાત ડીશમાં જોવા મળી તેનો વિડીયો વાયરલ થતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બાળકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાતી હોય બાળકોને કાંઈ થશે તો તેની જવાબદારી કોની તે એક ચર્ચાનો વિષય બન્યો છે.ઉપરી અધિકારી દ્વારા તપાસ કરી દોષિતો પર કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. દહેગામ ગામે આંગણવાડી ભોજનમાં જીવાત નો વિડીયો વાયરલ થતાં આઈસીડીએસ કચેરીના કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is