– ખેતરમાં લટકેલા ૧૧ કે.વી હેવી વાયરના સંપર્કમાં આવતા ખેતરમાં કામ કરતા શ્રમિકને લાગ્યો કરંટ
– વીજ કચેરીને ઘણા દિવસથી જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહિ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળામાં GEBની બેદરકારી સામે આવીછે.GEBની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલતી ઘટના રાજપીપલામાં ઘટી છે.ખેતરમાં લટકેલા ૧૧ કે.વી હેવી વાયરના સંપર્કમાં આવતા ખેતરમાં કામ કરતાએક શ્રમિકને કરંટ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
કરંટ લાગતા શ્રમિકના શરીરનો અડધો અંગ થોડા સમય માટે કામ કરતું બંધ થઈ જતા ખેતર મલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સદ્દનસીબે અડધો કલાક બાદ શર્મિકને સારું લાગતા શ્રમિક તેના પરિવાર સહિત ખેતર છોડી ભાગી ગયા હતા.જો કે હેવી કરંટ લાગવા છતાં કોઈ જાન હાની નહિ,પરંતુ ખેતર મલિક સહિત અન્ય મજૂરોને જીવનું જોખમ ઉભું થયું છે.ખેતરમાં કેળા કટિંગનું કામ પણ બંધ થઈ જતા ખેતીમાં નુકશાનની સેવાતી ભીતિ સેવાઈ રહી છે.
રાજપીપલાની વીજ કચેરીને ઘણા દિવસથી જાણ કરવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી નહિ કરતા ખેડૂતોમા રોષની લાગણી ફેલાઈ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is